નિરાકારે નીરખાણો……
પુરાણે પુરાણો ,ચારણે ચરચાણો,
લીલાધર કેવાણો , વેદે વંચાણો,
ગીતે ગવાણો, ગોવાળ દેખાણો,
નટે નચાણો , નંદકુંવર કેવાણો.
બાજીગર જોવાણો, કેશવ કેવાણો,
સારથી સમજાણો, હૈયે હરખાણો.
રણછોડ દેખાણો,રાવણ રોળાણો,
વખે પીવાણો ,તુલશીયે તોલાણો.
ગોવર્ધન ધરાણો, વચને બંધાણો,
ભરત કહે બધે ,નિરાકારે નીરખાણો..
ભરત વાઘેલા..૧૨-૦૧-૧૩.
Posted on January 13, 2013, in - ગઝલ.., - છંદ.., ભરતભાઈ વાઘેલા. Bookmark the permalink. 4 Comments.
સુંદર ..જય શ્રી કૃષ્ણા…
પ્રિય અશોકસાહેબ
આપનો અમુલ્ય પ્રતિભાવ આપવા બદલ આભાર
જય સ્વામિનારાયણ…
વિકાસ,
જય સ્વામિનારાયણ !
કવિતાઓ અને શાયરીના સંગ્રહનો નવો બ્લોગ પ્રસિદ્ધ કરવા બદલ શુભભાવના સાથે અભિનંદન અને શુભેચ્છાઓ …!
પ્રિય અશોકકાકા
આપના આશિર્વાદ હંમેશા સાથ રહે એજ આશા છે
આભાર
જય સ્વામિનારાયણ…..