નિરાકારે નીરખાણો……


Image

પુરાણે પુરાણો ,ચારણે ચરચાણો,
લીલાધર કેવાણો , વેદે વંચાણો,

ગીતે ગવાણો, ગોવાળ દેખાણો,
નટે નચાણો , નંદકુંવર કેવાણો.

બાજીગર જોવાણો, કેશવ કેવાણો,
સારથી સમજાણો, હૈયે હરખાણો.

રણછોડ દેખાણો,રાવણ રોળાણો,
વખે પીવાણો ,તુલશીયે તોલાણો.

ગોવર્ધન ધરાણો, વચને બંધાણો,
ભરત કહે બધે ,નિરાકારે નીરખાણો..

ભરત વાઘેલા..૧૨-૦૧-૧૩.

About જીવન કલા વિકાસ

જય સ્વામિનારાયણ દોસ્તો... એક અભ્યાસુની સાથે સાથે શોખ પુરુ કરવા બનાવેલ આ બ્લોગ. જય શ્રી કૃષ્ણ...

Posted on January 13, 2013, in - ગઝલ.., - છંદ.., ભરતભાઈ વાઘેલા. Bookmark the permalink. 4 Comments.

  1. સુંદર ..જય શ્રી કૃષ્ણા…

  2. વિકાસ,

    જય સ્વામિનારાયણ !

    કવિતાઓ અને શાયરીના સંગ્રહનો નવો બ્લોગ પ્રસિદ્ધ કરવા બદલ શુભભાવના સાથે અભિનંદન અને શુભેચ્છાઓ …!

આપનો પ્રતિભાવ અહી આપજો...!!